« Back to website
Name:
Email:
Message:

Make this guestbook ad-free
10:03pm 09-02-2010
HARESH.K.NAGOH
JAY VADVALA DEV ALL RABARI SAMAJ
RADHANPUR
6:30pm 09-02-2010
Tej Desai 9898702121
Jay Limbaj Maa
માં વિશે તમારું શું માનવું છે?
આ પ્રશ્ન અમે ઘણાં મિત્રોએ સાથે મળીને વિચારી જોયો. તેના જવાબો કાંઇક આમ હતાં.

મમતાનું મૂર્તીમંત સ્વરૂપ એટલે માતા,
માતા’ એ એક ઇશ્વરી શક્તિ છે, કે જે કોઇપણ સારી કે વિપરીત પરિસ્થિતિમાં પ્રત્યક્ષપણે આપણી સાથે રહે છે.
માં વગર અસ્તિત્વ શક્ય નથી. આજે સમાજમાં કોઇ એવું પ્રાણી નથી કે જેની ‘માં’ ન હોય, માટે તે પ્રભુ દ્વારા અપાયેલી અનન્ય અને અમૂલ્ય ભેટ છે.
નિસ્વાર્થ સ્નેહ અને લાગણીની અનરાધાર વર્ષા એટલે માં
માણસ ગમે તેટલો મોટો થઇ જાય, માં માટે એ કાયમ નાનકડું બાળક જ રહે છે. માં જેટલા અધિકારથી કોઇ બોલાવી શકે?

પણ આ બધા જવાબો ઉપર સૌ એક વાત પર સહમત થયા, અને એ કે “માં’ ની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે. અને ખરેખર એ વાત સો ટકા સાચી છે. વ્યાખ્યા કરવા માટે પણ તેને અમુક વિશેષણો લગાડવા પડે, કોઇકની સાથે સરખામણી કરવી પડે. પણ માં ની સરખામણી કોની સાથે કરશો?

કોઇપણ યુગ કે સંસ્કૃતિની માતામાં, આજે પણ, પોતાના સંતાન પ્રત્યે માં સ્નેહ કે વાત્સલ્યમાં કોઇપણ આધુનિકતાનું પડ ચડ્યુ નથી. તેના કારણે જ માંનો સંબંધ આજે પણ એવો જ છે જેવો વિશ્વના પ્રથમ માં – સંતાન વચ્ચે હશે, એટલે કદાચ આ સંબંધની મહત્તા બીજા કોઇ પણ સંબંધ કરતા વધુ જ રહેવાની.

આપણી પાસે જે હોય તેની મહત્તા આપણે સરળતાથી સમજી શક્તા નથી. પણ જેની પાસે માં નથી તેને જોઇએ તો કદાચ એ અહેસાસ થાય કે ‘માતા’ વિનાના જીવનમાં અધૂરપ અને એકલતા ઝળક્યા કરતી હશે.

માતા કદી નિર્દય કે ક્રૂર હોતી નથી, સમાજના ડરથી કે “નામ” ને ખાતર ક્યારેક એમ થાય કે માતાને પોતાના સંતાનના જન્મ સાથે તેનાથી અલગ થવું પડે, પણ એ ચોક્કસ છે કે આવા સંજોગો છતાં, તેનું મન આમ કરવા ક્યારેય તૈયાર હોતું નથી. તે પણ ચોક્ક્સ પશ્ચાતાપના આંસુ જીવનભર વહાવ્યા કરતી હશે કારણકે ઇશ્વરની આ સૌથી મહાન ભેટને તે કદી પોતાના મનથી અલગ કરી શક્તી નથી.

માતાના બાળક પ્રત્યેના સ્નેહ અને તેની અપાર મમતા વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ હવે વાત એ છે કે આપણે તેના પ્રત્યે કેટલી વફાદારી અને સન્માન જાળવીએ છીએ. ઘણી વખત જોવાયું છે કે પુત્રના લગ્ન પછી આ સંબંધ પ્રત્યેના વલણમાં બદલાવ આવે છે. આજના ઘણા યુવાનો પોતાની માતાની બે મિત્રો વચ્ચે ઓળખાણ કરાવતા ખચકાય છે, હોઇ શકે કે માતા અભણ હોય, પણ એ માતા છે, આપણું જીવન, આપણી કારકીર્દી અને આપણો અભ્યાસ બધું તેને જ આભારી છે. શું આપણે માતાના આપણા પરના હજારો ઉપકારના બદલામાં આ સંકોચ ત્યાગી ન શકીએ? આપણે નાના હતા ત્યારે આપણી દરેક જીદ, માંગણી પૂરી કરનાર દ્વારા ઘડપણમાં બોલાયેલ સામાન્ય કટુવચન આપણે સહન ન કરી શકીએ? આપણી આંગળી પકડી ચાલતા શીખવનાર, જીવનમાર્ગ પર દરેક નાનામાં નાના વિઘ્નોથી બચાવનારની લાકડી આપણે શા માટે ન થઇ શકીએ?

આ પ્રશ્નોના જવાબ જો આપણે હકારમાં આપી શકીએ તો એ આપણી સાચી માતૃવંદના બની રહેશે. Tej Desai 9898702121
6:25pm 09-02-2010
Tej Desai 9898702121
અશ્રુ ભીની આંખ મારી, તરસ્યા કરે બસ તુજને જ માં,
શા માટે છે તું રીસાણી, વિચાર્યા કરું બસ એ જ મનમાં.

નથી રહી શક્તો તુજ વીણ, ક્ષણ ભર પણ એક દિવસમાં,
ન કરીશ અબોલા મુજસંગ, ખોવાયેલ હું બાળ તુજ મમત્વમાં.

નથી જોઇતી દુનિયા કેરી, સુખ સાહેબી આ જગતમાં,
મારું મન ઝંખે છે તુજને, ચાતક સમ બની, કણકણમાં.

લાવણ્ય કેરી તુજ છોળ કાજે, ભટકું ભ્રમર બની હું મલકમાં,
મળશે કદાચ મુજ શકને તું, આશ એક તે તનમનમાં.

સઘળું મેળવું શ્રમથી પણ, સાથ તારો ક્યાં મુજ નસીબમાં,
સાદ પાડું તુજ નામનો હું આજ, ગમગીન બની નીલ ગગનમાં,

દુનિયા કેરી અનંત યાતનાઓ, વેઠી ઉછેર્યો મુજને તે બાળપણમાં,
અફસોસ એ ઋણ ચૂકવવાનો, મોકો ન મળ્યો મુજને જીવનમાં.

વાદળ બની વરસી ગઇ તું પણ, ભીંજાઇ શક્યો ન અંગેઅંગમાં,
આંગળી પકડી ચાલતા શીખ્યો, ન બન્યો તુજ સહારો ઘડપણમાં.

યાદો છે સાથે ફક્ત આજ તારી, બાકી બધું વીત્યું અણસમજણમાં,
અમાસ કેરા ચાંદમાં નીરખું તુજને, મંત્રમુગ્ધ થઇ નીલ ગગનમાં.

કંઇપણ નથી વિશેષ ‘દેવ’, માં કરતા આ જટીલ જગતમાં,
ઇશ્વર પણ અવતર્યા તે તત્વ પામવા, રામકૃષ્ણ બની રધુકૂળ યાદવમાં. Tej Desai 9898702121
6:01pm 09-02-2010
Tej Desai 9898702121
Jay Limbaj maa

એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા. અત્યંત મહત્વપૂર્ણ એવી દરબારી કાર્યો પર ચર્ચા ચાલી રહી હતી કે અચાનક અકબરને ન જાણે શું થયું, તેમણે દરબારીઓને પાંચ પ્રશ્નો કર્યા - "કયું ફૂલ સૌથી સારું છે?, કયું પાનું સૌથી ઉપયોગી છે?, કોનું દૂધ સૌથી ઉત્તમ છે?, મીઠી વસ્તુઓમાં સૌથી સારું શું છે? તથા સૌથી શ્રેષ્ઠ રાજા કોણ છે?"

અકબરના આ સવાલોના જવાબોમાં બધા દરબારીઓનો મત અલગ-અલગ હતો, પરંતુ પાંચમાં સવાલના જવાબમાં બધા દરબારીઓએ બાદશાહ અકબરને જ સૌથી શ્રેષ્ઠ રાજા બતાવ્યાં. તેમ છતાંય અકબર આ જવાબોથી સંતુષ્ટ નહીં થયા. એમને વિશ્વાસ હતો કે આ બધા પ્રશ્નોના સાચા ઉત્તરતો ફક્ત એક બીરબલ જ આપી શકે.

થોડી જ વારમાં બીરબલ દરબારમાં ઉપસ્થિત થયા અને બાદશાહને સલામ કરીને પોતાના સ્થાન ઉપર બેસી ગયા. બાદશાહ અકબરે ઉપરોક્ત પ્રશ્નો ફરી કર્યા.

"બાદશાહ સલામત, આ તો ખૂબજ આસાન સવાલો છે." - બીરબલે કહ્યું. "સૌથી સારું ફૂલ કપાસનું છે કારણ કે તેનાથી આપણને તન ઢાંકવા માટે કપડા મળે છે. સૌથી ઉપયોગી પાનું લાલનું છે કારણ કે એનાથી દુશ્મનોને દોસ્ત બનાવી શકાય છે. માઁનું દૂધ સૌથી ઉત્તમ છે કારણ કે એનાથી શિશુને પોષણ મળે છે. મીઠાશમાં સૌથી સારી વાણી છે કારણ કે મીઠુ બોલવાથી જ આ દુનિયામાં ઇજ્જત થાય છે અને રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ રાજા ઇન્દ્ર છે જેમના આદેશથી આ દુનિયા ચાલી રહી છે."

બાદશાહ અકબરને એમના સવાલોના જવાબ મળી ગયા હતા. તેઓ બીરબલની બુદ્ધિમતા પર ખુબજ પ્રસન્ન થયા. Tej Desai  9898702121
5:50pm 09-02-2010
Tej Desai 9898702121
શ્રી માતાજી   પ્રભુને સમજવા હોય તો પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ.
શ્રી વલ્લભાચાર્ય કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.
જવાહરલાલ નહેરુ મને મોડા પડવા માટેનાં કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.
પાંડુરંગ આઠવલે કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.
હિતોપદેશ કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
પંચતંત્ર રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.
રામકૃષ્ણ પરમહંસ જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.
ઉપનિષદો ઈશ્વર એક જ છે, ભક્તો જુદી-જુદી રીતે તેને વર્ણવે છે.
દયાનંદ સરસ્વતી ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
સ્વામી રામતીર્થ નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.
અંગ્રેજી કહેવત આળસુ મન એટલે શેતાનનું કારખાનું.
ગૌતમ બુદ્ધ આળસ માનવીનો મહાન શત્રુ છે.
મહાવીર સ્વામી જેને જાતનું અભિમાન નથી, રૂપનું અભિમાન નથી, લાભનું અભિમાન નથી, પંડિતાઈનું અભિમાન નથી, અને જે સર્વ પ્રકારનાં અભિમાન છોડીને ધર્મધ્યાનમાં રત છે તે સાધુ છે.
દયાનંદ સરસ્વતી મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
વિનોબા ભાવે અભિમાનના આઠ પ્રકાર છે: સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન અને કર્તુત્વનું અભિમાન. પરંતુ "મને અભિમાન નથી" એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.
સુદર્શન   કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.
પ્રેમચંદજી યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.
ઋગવેદ યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા જ પ્રસન્ન થાય છે.
દયાનંદ સરસ્વતી ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
ભગવાન બુદ્ધ ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.
શ્રી મદ્‍ ભગવદ્‌ ગીતા પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતાં પણ વધારે છે.
પ્રેમચંદજી કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી.
ભર્તુહરિ તુચ્છ માનવીઓ વિઘ્નના ભયથી કોઈ શરૂઆત કરતાં નથી. મધ્યમ શ્રેણીના લોકો કાર્યનો આરંભ કરે છે પણ મુશ્કેલી આવતાં જ તેને છોડી દે છે, પણ શ્રેષ્ઠ પુરુષો વારંવાર સંકટો આવવા છતાં હાથમાં લીધેલું કાર્ય કદી છોડી દેતા નથી.
ચાણક્ય દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી.
ગુજરાતી કહેવત જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ નાનું.
શ્રી માતાજી જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.
સ્વામિ વિવેકાનંદ પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
મહાવીર સ્વામી પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
ગોસ્વામી તુલસીદાસ પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.
સ્વામી દયાનંદ ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.      Jay Limbaj Maa
5:46pm 09-02-2010
Tej Desai 9898702121
સુવિચારક   સુવિચાર
વિષ્ણુપુરાણ ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદ્‍ગતિ પામે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
ભર્તુહરિ સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
ભગવાન શંકરાચાર્ય પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.
ગૌતમ બુદ્ધ જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.
ભર્તુહરિ ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.
જયશંકર પ્રસાદ ક્ષમામાં જ પાપને પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.
પંચતંત્ર જો માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે?
વેદવ્યાસ ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.
પ્રેમચંદજી જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
વેદવ્યાસ ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.
અજ્ઞેય ક્ષમા હ્રદયનો ધર્મ છે.
ગાંધીજી ક્ષમા વીરોનું આભૂષણ છે.
વાલમીકિ ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.
ધૂમકેતુ માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી વ્યવહાર ચાલે છે.  ,,,,,,,,,,,,, Tej Desai 9898702121
5:35pm 09-02-2010
Tej Desai 9898702121
તુચ્છ માનવીઓ વિઘ્નના ભયથી કોઈ શરૂઆત કરતાં નથી. મધ્યમ શ્રેણીના લોકો કાર્યનો આરંભ કરે છે પણ મુશ્કેલી આવતાં જ તેને છોડી દે છે, પણ શ્રેષ્ઠ પુરુષો વારંવાર સંકટો આવવા છતાં હાથમાં લીધેલું કાર્ય કદી છોડી દેતા નથી. Jay Limbaj maa
Tej Desai 9898702121
5:32pm 09-02-2010
Tej Desai 9898702121
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમઝાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમઝાવવાનું છોડી દીધું.

એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂજી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ (કેન્વાસ) પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખી મૂકી. જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ન કર્યો "અરે પિતાજી! આટલું સુંદર ચિત્ર કોણે બનાવ્યું?" પિતાજીએ કહ્યું "કોઈ એ નહીં. આપોઆપ જ બની ગયું." તો યુવક ઘણી આશ્ચર્ય ભરી નજરોથી પિતાજીને જોવા લાગ્યો. તેને પિતાજીની વાત સમઝ ન આવી હતી.

એણે પિતાજીને કહ્યું "એ સંભવ જ નથી કે આપોઆપ કઈ થઈ શકે." પિતાજીએ કહ્યું "જો દીકરા! આ પીંછી ઉપર ઉઠી, રંગમાં પાણી બોરી અને ચિત્રપટ પર રંગ ભરી પાછી એની જગાએ આવી ગઈ." યુવક હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે "પિતાજી, કોઈ પણ વસ્તુ આપોઆપ જ નથી થઈ શકતી." આ સાંભળી પિતાજીએ કહ્યું - "સાબાશ દીકરા! આ નાનું ચિત્ર આપોઆપ નથી બની શકતું, અને છતાં આટલું મોટું જગત આપોઆપ બની ગયું?"

યુવકને પોતાની ભૂલ સમઝાય ગઈ, અને જગત્સૃષ્ટા પરમાત્માના અસ્તિત્વ પ્રતિ તે શ્રદ્ધા યુક્ત થઈ ગયો. આટલાથી એ ધન્યતાનો અનુભવ કરવા લાગ્યો.

કથામાંથી શિક્ષા -
પરમાત્માના અસ્તિત્વનો નિશ્ચય આપણા જ્ઞાન રૂપી ચક્ષુથી કરવો જોઈએ, નહીં કે આપણી ચામડાની આંખો વડે. આંખોનું પ્રયોજન તો રૂપ અને રંગની દુનિયા જોવા માટે છે, એ આંખો રૂપ અને રંગ બનાવનારને નથી જોઈ શકતી.

જ્યાં કાર્ય છે ત્યાં કારણ હોય જ છે. ઈશ્વર જગતરૂપી કાર્યના મૂળ કારણ છે, તેથી એમના અસ્તિત્વ પર કોઈ સંદેહ નહીં કરવો જોઈએ. જગતનું હોવું જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે.
2:34pm 06-02-2010
Tej Desai
એક સરકસમાં વાંદરો-વાંદરી પરણી ગયાં. થોડા સમય પછી વાંદરીને સારા દિવસો જવા લાગ્યા. સરકસના પ્રાણી ડોક્ટરે વાંદરીને તપાસીને પૂછ્યું, ‘કેવું બાળક જોઇએ-છોકરો કે છોકરી?’ પ્રસૂતાએ જવાબ આપ્યો, ‘તેના પગ સાઇકલ ચલાવવા જેટલા લાંબા હોય અને માથું તોપના નાળચામાં સમાઇ શકે તેવું હોય એમ કરજો. પછી છોકરો હોય કે છોકરી તેનો કોઇ ફેર પડતો નથી.’-કથાબોધ : કર્મચારી પુરુષ છે કે સ્ત્રી તે મહત્વનું નથી. જે કામ તેને સોંપાયું છે તે બરાબર કરે છે કે નહીં તે વાત અગત્યની છે...

આજકાલ મેનેજમેન્ટની બોલબાલા છે. જેમ જૂના જમાનામાં ધર્મ પાસે બધા પ્રશ્નોના ઉકેલ હતા તેમ આજે મેનેજમેન્ટ વિજ્ઞાન પાસે જગતનાં તમામ દુ:ખોનો રામબાણ ઇલાજ છે. જેમ ધર્મ કહેતો કે ગરીબી માટે માણસનાં કર્મો જવાબદાર છે, તેમ મેનેજમેન્ટ કહે છે કે ગરીબી એ મેનેજેરિયલ પ્રોબ્લેમ છે.

જૂના જમાનામાં કોઇ બાવો પોતાને ઇશ્વરની કક્ષા સુધી પહોંચાડી દેતો તેમ એક વાર મેનેજમેન્ટની કંઠી બાંઘ્યા પછી કેટલાયે માણસો મેનેજમેન્ટ ગુરુ બની જાય છે, સૂંઠને ગાંગડે ગાંધી થઇ જાય છે. જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો.

- - - - -

બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું.

બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.

(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.)

- - - - -

રાજાની ભેંસ વિયાણી ને પાડો જન્મ્યો. રાણીને પાડો જોવાનું મન થયું તેથી પહેલા માળે જનાનખાનામાં નરબચ્ચાંને લાવવાનો હુકમ કર્યો. દાસી તાજા જન્મેલા પાડાને માવજતથી પહેલે માળે લઇ ગઇ. પછી રાણીને બચ્ચું ગમી જતાં તેને રોજ એક વાર ઉપર લાવવું તેવો હુકમ કર્યો.

આ નિયમિત ક્રમમાં બચ્ચું અલમસ્ત પાડો બની ગયું, છતાં ક્રમ ચાલુ રહ્યો. એક વાર રાજાના દરબારમાં એક પહેલવાન આવ્યો. તેણે પડકાર ફેંક્યો કે તે સૌથી વધુ વજન ઊચકી શકે છે. તેની સામે રાજાના બધા પહેલવાનો હારી ગયા. રાજા મૂંઝાયો ત્યારે રાણી મદદે આવી. તેણે પાડાવાળી વાત કહી પહેલવાનને પાડો ઊચકીને એક માળ ચડી જવાનો પડકાર ફેંકવા સલાહ આપી.

બીજે દિવસે દરબારમાં રાજાએ પહેલવાનને પડકાર ફેંક્યો. પહેલવાને મહા મહેનતે પાડાને ઊચક્યો તો ખરો, પરંતુ દાદર ન ચડી શક્યો. ત્યાં દાસી આવી, પાડાને ઊચકીને પહેલે માળે સડસડાટ ચડી ગઇ.

(કથાબોધ : રોજના મહાવરાથી સામાન્ય કારીગરો જે મુશ્કેલ કામ કરી શકે છે, તે નિષ્ણાતો કરી શકતા નથી. દરેક ઉદ્યોગ સંગઠને વ્યૂહાત્મક કામના મહાવરાવાળા કારીગરો તૈયાર કરવા જોઇએ. તેમના વડે હરીફને જીતી શકાય.)

- - - - -

એક કુંભાર પાસે એક ગધેડો હતો, જે માલવહનનું કામ કરતો. કુંભાર તેને ખૂબ મારતો અને પૂરું ખાવાનું ન આપતાં બિચારો માયકાંગલો બની ગયો હતો. એક હૃષ્ટપુષ્ટ ગધેડાએ તેને પૂછ્યું, ‘તું આ શેઠને છોડી કેમ નથી દેતો?

માયકાંગલા ગધેડાએ જવાબ આપ્યો, ‘શેઠ તેની એકની એક તોફાની દીકરીને કહ્યા કરે છે કે તે બહુ તોફાન કરશે તો તેને મારી સાથે પરણાવી દેશે. હું એ દિવસની રાહમાં આ બધું સહન કરી લઉ છું. પછી તો શેઠની બધી મિલકત મારી જ છે ને!’

(કથાબોધ: કારીગરો કામ કરે તે માટે પ્રેરણા (મોટીવેશન) અથવા પોષણ (ઇન્સેન્ટિવ) અપાય છે. પ્રેરણા શાબ્દીક પ્રોત્સાહન છે, જ્યારે પોષણ એ ભૌતિક વસ્તુ આપીને કરાય છે. ડાહ્યા લોકો ઇન્સેન્ટિવથી કામ કરે છે, ગધેડાઓ પ્રેરણાથી કામ કરે છે.)

- - - - -

રવિવારને દિવસે સિંહ તેની બોડ બહાર સુસ્તાતો હતો. પસાર થતાં એક શિયાળે પૂછ્યું, ‘સમય કહેશો? મારી ઘડિયાળ બગડી ગઇ છે.’ સમય કહેતાં સિંહે કહ્યું, ‘હું તમારી ઘડિયાળ રિપેર કરી દઇશ.’

શંકા દર્શાવતાં શિયાળે કહ્યું, ‘આ યંત્રરચના અઘરી છે. વળી તમારો હાથ લાગતાં ઊલટી વધારે બગડી જશે.’

સિંહે કહ્યું, ‘લાવો તો ખરા, હું રિપેરિંગની ગેરંટી આપું છું.’ ઘડિયાળ લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વાર પછી રિપેર થઇને બરાબર ચાલતી ઘડિયાળ સાથે પાછો ફર્યો. શિયાળ આદર સાથે નવાઇ પામ્યો. સિંહ પાછો સુસ્તાવા લાગ્યો.

થોડી વારમાં એક વરુ આવ્યું. તેણે સિંહને પૂછ્યું, ‘મારું ટીવી બગડી ગયું છે તેથી હું તમારે ત્યાં વન ડે મેચ જોઇ શકું?’ સિંહે કહ્યું, ‘લાવો તમારું ટીવી રિપેર કરી આપું.’

વરુએ કહ્યું, ‘સિંહને તે વળી ટીવી રિપેર કરતાં આવડતું હશે?’ સિંહે વળતાં કહ્યું, ‘પ્રયત્ન કરવામાં વાંધો શું છે?’ વરુ ટીવી લઇ આવ્યો. ટીવી લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વારે રિપેર થયેલું ટીવી લઇને પાછો આવ્યો. વરુ નવાઇ પામ્યું અને રાજી થયું.

હવે ગુફાની અંદરનું દ્રશ્ય જુઓ. એક ખૂણામાં નાના અને બુદ્ધિશાળી સસલાઓ બેઠા હતા અને સાધન-સરંજામની મદદથી ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન વગેરે રિપેર કરતા હતા. સામેના ખૂણામાં એક સિંહ પોતાના પંજા ચાટતો બેઠો હતો.

(કથાબોધ : કોઇ બુદ્ધુ માણસને પ્રગતિ કરતો જોઇ તમને નવાઇ લાગે ત્યારે તેના અનુચરો તરફ જોવું, તે બધા બુદ્ધિશાળી હશે. જે મેનેજરના કારીગરો કુશળ હોય તે મેનેજરને લાયકાત વિના પણ બઢતી મળે છે. પાઠ નંબર બે, સસલાને મારીને ખાઇ જવા કરતાં તેમની પાસે કામ લેવાથી વધારે ફાયદો થાય છે.)

- - - - -

એક સસલો તેની બોડ બહાર બેઠોબેઠો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. ત્યાંથી પસાર થતા એક શિયાળે પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં શિયાળને કઇ રીતે મારી પાડવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’

શિયાળે કહ્યું, ‘સસલો તે કદી શિયાળને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. થોડી વારમાં સસલો શિયાળના હાડકાંનો ટુકડો ચાટતો બહાર આવ્યો.

થોડી વાર પછી ત્યાંથી વરુ પસાર થયો. સસલો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. વરુએ પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં વરુને કઇ રીતે ખતમ કરવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’વરુએ કહ્યું, ‘સસલો તે કદી વરુને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું.

બંને અંદર ગયા. થોડી વારમાં સસલો વરુના હાડકાંનો ટુકડો ચાટતાં બહાર આવ્યો. છેલ્લે એક રીંછ આવ્યું. કમ્પ્યૂટર પર કામ કરતાં સસલાને પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં રીંછને કઇ રીતે પતાવી દેવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’

રીંછે કહ્યું, ‘સસલાની શી મજાલ કે તે રીંછને પતાવી દઇ શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. અંદર એક ડાલામથ્થો સિંહ પંજા ચાટતો બેઠો હતો.

(કથાબોધ : તમારી તાકાત કેટલી છે તે મહત્વનું નથી. ધંધામાં પાર્ટનર કોણ છે તે મહત્વનું છે.)

- - - - -Tej Desai 9898702121

એક નિરીશ્વરવાદી (ભગવાનમાં ન માનનાર) જંગલમાંથી પસાર થતાં ભૂલો પડ્યો. આમતેમ અટવાતો હતો ત્યાં પાંચ બચ્ચાં સાથે એક ભૂખી રીંછણ આવી ચડી. માણસને જોઇને રીંછણ ઘુઘવાટા કરવા લાગી. તે વિકરાળ હતી, તેના નહોર ચપ્પુ જેવા તીક્ષ્ણ હતા. ડરનો માર્યો માણસ દોડવા લાગ્યો.

રીંછણ પાછળ દોડી. ગભરાયેલા માણસથી બોલાઇ ગયું, ‘હે ભગવાન, બચાવ.’ આકાશમાં ગડગડાટી થઇ. ઈશ્વર બોલ્યા, ‘તમે નિરીશ્વરવાદીઓએ મને ગાંડો કરી નાખ્યો છે. આમ તો મને માનતા નથી ને પાછી મારી મદદ માગો છો?’

‘હું ભૂલ કબૂલ કરું છું, પણ આ ઉંમરે હવે વિચાર બદલવો શક્ય નથી. પણ રીંછણ નાની વયની છે, ભગવાન, તેના વિચાર બદલીને તેને આસ્તિક બનાવી દો તો હું બચી જાઉ,’

નિરીશ્વરવાદી બોલ્યો. ઈશ્વરે કહ્યું, ‘તથાસ્તુ.’ થોડે દૂર રહેલી રીંછણ નજીક આવી, માણસનું ગળું દબોચીને બોલી, ‘આજનું ભોજન આપવા બદલ ઈશ્વરનો આભાર.’

(કથાબોધ : ઈશ્વરમાં માનવાથી ધંધામાં અહિંસક બનાતું નથી.)
12:42pm 05-02-2010
Tej Desai
જય વડવાળા

રબારી સમાજ માટૅ આ બહુજ સરસ કાયૅ તમૅ શરૂ કરીયુ તે બદલ જનકભાઈ તમારો ખુબ ખુબ િદલ થી આભાર માનુ છુ. હ્જી વધુ માહીતી આપવા વીનંતી.

તૅજમલ ગફુુરભાઈ રબારી
મૉબાઈલ ઃ= 9898702121
ગામ ઃ= બપૈયારા (ખાખરીયા પરગણુ)
તાલુકો ઃ= કડી
િજલ્લો ઃ= મહેસાણા
tejendra_teju@yahoo.co.in
11:20pm 04-02-2010
sendhabhai Davada
   JAY SADHI-LAKHU MA
     Patan maru paragnu NAVA maru gam kalotara mari sakh  avata jata kaheta jajo Nava na GOGA tari jay
    
4:58pm 04-02-2010
MUKESH MORI
પોતાની જાતને બદલવી છે
---------------------------------જીવનમાં આમ જુઓ તો નાની નાની બાબતો કે પ્રસંગો બન્યા જ કરતા હોય છે પણ આપણે એ બાબતોને ક્યારેય મહત્વ આપ્યું જ નથી. અને એ બાબતો કે પ્રસંગોનું આપણા વિકાસમાં મહત્વ છે. ઘણું મોટું મહત્વ છે એની આપણને ખબર જ નથી. ભલે એ બાબત કે પ્રસંગ નાનો લાગતો હોય પણ આપણું આખું જીવન બદલાઈ શકે છે એટલી નાની બાબત કે પ્રસંગથી. એ માટેની વાત મેં હમણાં જ તાજેતરમાં વાંચી. એના લખનાર છે ડબલ્યુ. કલેમેન્ટ સ્ટોન. એમાં જે પ્રસંગની વાત લખી છે એ પ્રમાણે આપણામાંથી ઘણાં આજે પણ કરતા જ હશે અને એટલે જ આ પ્રસંગનું આપણે માટે મહત્વ ઘણું વધી જાય છે. પ્રસંગ આ પ્રમાણે છે :

‘પપ્પા, તમે મને વચન આપ્યું હતું કે તમે મને વાર્તા કહેશો.’
લોઉ ફિંકે એના ચાર વર્ષના બાળક કેન્ટનો અવાજ સાંભળ્યો. શુક્રવારની મોડી સાંજ પસાર થઈ રહી હતી. એને ઑફિસેથી ઘેર આવતાં ઘણું જ મોડું થઈ ગયું હતું. અને એને કારણે એ કેન્ટ સાથે સાંજનું વાળુ લઈ શક્યો ન હતો અને લોઉએ એની પત્ની પેગને ફોન પણ કર્યો ન હતો. પેગ હજારો સ્ત્રીઓની માફક રાહ જોયા કરે અને કલાકો વીત્યા કરે. ‘રસ્તાઓ લપસણા થઈ ગયા છે. કદાચ મોટરનો અકસ્માત પણ થયો હોય ! પણ લોઉએ ફોન તો કર્યો જ હોત.’ પેગ વિચારતી હતી. પેગને આ રાહ જોવાનું ગમતું ન હતું. એને આ અનિશ્ચિતતાથી ઘણી અકળામણ થતી.

પણ હવે લોઉ ઘેર આવી ગયો હતો. એ હવે કેન્ટની પ્રભુ માટેની પ્રાર્થના સાંભળી શકશે અને એને પથારીમાં ઊંઘાડી શકશે. પત્ની પેગે બધું ગરમ કરવા માટે હવે રસોડું સંભાળ્યું. અને લોઉ કેન્ટને ઊંચકીને બેડરૂમમાં લઈ ગયો.
‘પપ્પા ! તમે વાર્તા કહેશોને ?’
‘પપ્પા તને કાલે રાત્રે વાર્તા કહેશે.’ પેગે રસોડામાંથી બૂમ પાડી કહ્યું.
‘પપ્પા ! ગઈકાલે રાત્રે તમે કહ્યું હતું કે જો તું અત્યારે તરત ઊંઘી જઈશ તો હું તને કાલે વાર્તા કહીશ. અને હું તમે કહ્યું કે તરત જ ઊંઘી ગયો હતો. તમે મને વચન આપ્યું હતું. પપ્પા ! તમે મને પ્રોમીસ આપ્યું હતું.’
લોઉએ કેન્ટની સામે જોયું અને કહ્યું : ‘વચન એટલે વચન અને કરાર એટલે કરાર. હંમેશા આ વાત યાદ રાખજે બેટા !’ અને લોઉએ કેન્ટને વાર્તા કહેવી શરૂ કરી – પરીઓની વાર્તા જેવી. જેમાં એક છ વર્ષનો છોકરો જંગલના બધા જ પ્રાણીઓનો મિત્ર હોય છે. એ બધાંને એમના નામથી ઓળખતો હતો. અને એ એમની સાથે એમની ભાષામાં વાત કરી શકતો હતો. એ એ બધાંને સમજી શકતો હતો અને બધાં એને સમજી શકતાં હતાં. અને આ પ્રમાણે બનતું હતું એનું કારણ જાદુઈ શક્તિ હતી. પણ આ બધું ત્યાં સુધી જ બની શકે જ્યાં સુધી આપેલું વચન પાળે.


લોઉ આગળ વાર્તા કહે, જેમાં પેલો છોકરો વચન પાળતો નથી, એ ભાગ આવે તે પહેલાં જ દીકરો કેન્ટ ઊંઘી ગયો. એ થાકી ગયો હતો અને કદાચ આ વાર્તાની અસરને કારણે પણ લોઉને ઊંઘ આવવા માંડી અને એ પણ ઊંઘી ગયો. પેગે આવીને જગાડ્યો, ‘ચાલો, જમવાનું તૈયાર થઈ ગયું છે. બહુ મોડું થઈ ગયું છે અને આજે બપોરે મને જમવાનો સમય નથી મળ્યો એટલે બહુ ભૂખ લાગી છે.’ વચન એટલે વચન – આ વિચાર લોઉના મનમાં જમતી વખતે પણ ઘોળાયા કરતો હતો. અને એ સ્વાભાવિક પણ હતું. અને પરીઓની વાર્તાના મૂળ ઘણીવાર મનમાં ઊંડે સુધી ઊતરી જતા હોય છે. જમ્યા પછી ખુરશીને સહેજ ખસેડી ટેબલથી સહેજ દૂર, બેસી તે બોલ્યો, ‘તને ખબર છે ? કરાર એટલે કરાર અને વચન એટલે વચન.’

પેગે સ્મિત કર્યું. એ સમજી ગઈ હતી કે લોઉ પોતાની જોડે જ વાત કરી રહ્યો હતો. અને એ આગળ ચલાવશે એ પણ એને ખબર હતી. લોઉએ ચલાવ્યું પણ ખરું. ‘સારા માણસો હંમેશા પોતાનું આપેલું વચન પાળતા હોય છે. ખરી વાત કે નહીં ? માણસ હંમેશા બીજાને આપેલું વચન પાળે જ.’ પેગે ફરી સ્મિત વેર્યું પણ કંઈ બોલી નહીં. તે આગળ બોલ્યો : ‘પણ એમણે પોતાની જાતને આપેલા વચનનું શું ? અને નવા વર્ષે પોતે પોતાને માટે લીધેલા નિર્ણયોનું શું ? જે ફક્ત થોડા મહિનાઓ પૂર્વે જ લીધા હતા ? જરા વિચાર ! જો માનવી પોતે પોતાના માટે લીધેલા નિર્ણયો પ્રમાણે કામ કરે તો જીવનમાં કેટલો બધો આગળ નીકળી જાય !!! જે રીતે એ બીજાને આપેલા વચન આનંદથી વ્યવસ્થિત રીતે પાળે છે એવી જ રીતે પોતે પોતાને આપેલા વચન પાળે તો ?! અને શું પોતે પોતાને આપેલું વચન મહત્વનું નથી ? આ બીજાને આપેલ વચન કરતાં વધારે મહત્વનું ના કહેવાય ? શું એણે પોતાને આપેલા વચન પ્રમાણે પોતાનું વર્તન ન રાખવું જોઈએ ?’

‘મને એ વિચાર આવે છે કે સફળતાને વરેલા માનવીઓ અને સામાન્ય રગશિયા ગાડાની જેમ જીવતા માનવીઓમાં જે તફાવત છે તે આ જ છે. એ લોકોની નિષ્ફળતા એમણે પોતાને આપેલા વચન પ્રમાણે નહીં વર્તવાને કારણે જ આવતી હોય છે. આ આપણી પાસે રહેતી હેલને નવા વરસે નિર્ણય કર્યો હતો કે એને હાર્ટએટેક આવ્યા પછી કે ડૉક્ટરે જે કહ્યું છે અને જેટલું ખાવાનું કહ્યું છે એટલું જ ખાવાનું અને એણે એ નિયમ થોડા મહિના પાડ્યો. પછી ગમે તે ખાવા માંડ્યું અને ગમે એટલું ખાવા માંડ્યું. અને પછી મરી ગઈ…. અને આ જૉનું કુટુંબ દાનધર્માદા ઉપર જીવે છે. કારણ નવા વરસે જૉએ પોતે પોતાને વચન આપ્યું હતું કે એ હવે દારૂ નહીં પીએ. અને આજે એ ગટરમાં પડેલો, દારૂ પીધેલો મળે છે…… અને આ પેલો હોવાર્ડ સ્મિથ ! એને પ્રિન્સ્ટનની બહાર લાત મારીને કાઢી મૂક્યો ન હોત જો એણે પોતાની જાતને આપેલું વચન પાળ્યું હોત અને આપેલું ઘરકામ કર્યું હોત !’

પેગે ફરી સ્મિત કર્યું.
‘અને પેગ ! મેં પણ વચન આપ્યું હતું. અને મને હમણાં જ ખ્યાલ આવ્યો કે મેં પણ આપેલું વચન નથી પાળ્યું. મેં મને વચન આપ્યું હતું અને આ બહુ અગત્યની વાત છે.’
પેગ હસતી અટકી ગઈ. એને થયું કે લોઉ ખરેખર અત્યારે બહુ સિરિયસ થઈ ગયો છે. ખૂબ જ સિરિયસ ! અને ખૂબ જ ધ્યાનથી એ સાંભળવા લાગી.
‘પેગ ! ગયા નવા વરસે મેં મારી જાતને વચન આપ્યું હતું. મેં પ્રભુને વચન આપ્યું હતું કે દરેક નવા વરસે પ્રભુની મહેરબાની માટે હું એમનો આભાર માનીશ અને તારો અને કેન્ટનો પણ આભાર માનીશ. મેં તને સુખી કરવાનું વચન આપ્યું હતું. દરેક નાની નાની બાબતોમાં પણ, જેમાં હું કાળજી નહોતો રાખી શકતો.’ લોઉએ હવે પેગની આંખ સાથે આંખ મેળવી કહ્યું, ‘પેગ ! તું મારા ઉપર વિશ્વાસ રાખી શકે છે. હું સમયસર રાત્રે જમવા ટાણે હાજર થઈ જઈશ. અને તું જાણે છે કે હું બીજાને આપેલું વચન હંમેશા પાળું છું. અને હવે પછી હું મને આપેલું વચન પણ ચોક્કસ જ પાળીશ. જો કંઈ ઈમરજન્સી આવી જશે તો હું તને ફોન તો જરૂર કરીશ. અને ઘણો વહેલો ફોન કરીશ. એટલે તારે મારે માટે ચિંતા નહીં કરવી પડે. અને મને એ પણ ખબર છે કે તું મારે માટે આટલી બધી ચિંતા કરે છે કારણ કે તું મને ખૂબ ચાહે છે.’

પેગે ફરી સ્મિત વેર્યું. પણ હવે એણે સાંભળવાનું બંધ કર્યું. એ એની પાસે આવી. એના હાથમાં હાથ લઈને એણે કહ્યું, ‘લોઉ, મેં પણ નવા વરસે એક નિયમ લીધો છે કે તું ગમે તેટલો મોડો આવે તો પણ તારી જોડે ઝગડો ના કરવો. અને આજે મેં તારી જોડે ઝગડો નથી કર્યો. આ અઘરી વાત હતી છતાં આજે હું કરી શકી છું. અને મને લાગે છે કે આમ નિયમ પાળવાથી આપણે જે વચન આપણને આપ્યું હોય તે પાળવાથી આપણો આનંદ વધે જ છે. વિકાસ થાય છે.’

અને ત્યાર પછી આખી જિંદગી એ લોકો આનંદથી પસાર કરી ગયા. આ વાત વાંચ્યા પછી મને થયું કે આપણામાંથી કેટલા બધા માનવીઓ પોતાને આપેલું વચન નથી પાળતા ! એ જો પાળવા માંડે તો ! વાત એવી કંઈ અઘરી કે અશક્ય નથી. જો આપણે બીજાને આપેલું વચન પાળી શકતા હોઈએ તો આ તો આપણી પોતાની જોડેનો કરાર છે !!! અને એ આપણા વિકાસ માટે, આપણા આનંદ માટે જ છે. અને આપણે એને જ નથી પાળતા ! આ વાંચ્યા પછી આપણે બધા આપણને આપણે આપેલા વચન પ્રમાણે જીવવાનું નક્કી કરીએ તો !? અને આમ દર વરસે કંઈક ને કંઈક આપણે આપણને જ વચન આપીએ. નાનું તો નાનું, પણ એનાથી જીવનમાં મોટો ફેરફાર થઈ જાય એવું નથી લાગતું ? આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછવાનો છે.

mukesh mori
veraval
9227687134
4:43pm 04-02-2010
MUKESH MORI
Brahma Sutra
************
Brahma Sutras is one of the books of Prasthana-traya and is an authoritative book on Hindu Philosophy. The Brahma Sutras are attributed to Badarayana. However, some authors including Adi Shankara treat Badarayana, the author of the Brahma Sūtra, as a distinct person, than Krishna Dwipayana Vyasa, the author of the Mahabharata.

There are six schools of classical Indian philosophy, namely: Nyaya, Vaisheshhika, Sankhya, Yoga, Mimansa and Vedanta. Sutras are pithy statements that elaborate upon some specific aspect of the field and thus serve as a point of reference for all matters of philosophical import. The authors of each school's sutra are called sutra-karas. They are

mukesh mori
veraval
9227687134
10:08am 04-02-2010
dinesh golvi
SUDHARI LEVA JEVI 6 POTANI BHOL
BHOLI JAVA JEVI 6 BIJANI BHOL
AATLU MANVI KARE KABUL
TO DAROJ DIL MA UGE SUKHNAFHOOL.....DINESH..GOLAVI
9:47am 04-02-2010
Dinesh.B.Vadasan
                                                                                        Jay Vadwala Dev ni
                                                                             કયારેય બીજા પ્રત્યે ભેદભાવ ન રાખો
બેબાળપણના મિત્રો હતા. મોટા થયા બાદ બંનેએ સાથે મળીને વેપાર ચાલુ કર્યો. વેપાર વધતો ગયો. બંનેનો પ્રેમ અને મિત્રતા જોઈને દરેક જણ દંગ રહી જતા. બંનેનાં પરિવારોમાં પણ આવો જ ગાઢ સંબંધ હતો પરંતુ એક ઘટનાએ બંનેની મિત્રતાનો પાયો હલાવી નાખ્યો. થયું એમ કે એક ફેરિયો કેરીનો ભરેલો ટોપલો લઈને દુકાને આપી ગયો. દુકાને બેઠેલા મિત્રએ ટોપલો રાખી લીધો. થોડા સમય બાદ તે જમવા માટે ઘરે જવા નીકળ્યો. તેણે પોતાના મિત્રને કહ્યું કે તું પોતાને ત્યાં લઈ જવા માટે થોડી કેરી રાખી લે, હું જમીને આવું છું. બીજા મિત્રનો પુત્ર પણ ત્યાં આવેલો હતો. તેણે કેરીનો ટોપલો લઈને તેના ભાગલા પાડવાનું ચાલુ કર્યું.
પોતાના પુત્ર માટે બીજા મિત્રના મનમાં પણ લોભ જાગ્યો. તેણે મોટી-મોટી કેરી લઈ લીધી અને નાની-નાની કેરી મૂકી રાખી. પહેલો મિત્ર જયારે જમીને દુકાને પાછો આવ્યો તો તે આ ભેદભાવને સમજી ગયો. તેને ઘણું દુ:ખ થયું. બીજા દિવસે તે વકીલને મળીને ધંધામાંથી પોતાની ભાગીદારી છૂટી કરવાના કાગળો તૈયાર કરાવીને લેતો આવ્યો.
બીજો મિત્ર આ જોઈને ચોંકી ગયો. તેણે કારણ પૂછ્યું તો બીજાએ જણાવ્યું કે ગઈકાલે તેં મોટી-મોટી કેરીઓ પોતાના માટે લઈ લીધી અને બચેલી નાની કેરીઓ મારા માટે છોડી દીધી હતી. વાત કેરીની નથી પણ તારા મનમાં જાગેલા ભેદભાવની છે. હવે આપણે સાથે નહીં રહી શકીએ. આ રીતે બંનેની વર્ષોજૂની દોસ્તી મિનિટોમાં તૂટી ગઈ. કથાનો બોધ છે કે પક્ષપાત બીજાના મનમાં ખટાશ પેદા કરે છે. તેનાથી પ્રેમભાવના તૂટી જાય છે અને વેરભાવનાનાં બીજ રોપાય છે, જે માનસકિ શાંતિને તોડી નાખે છે.
Dinesh Vadasan/Bhathi Vesan/Amrat Ruppur




Messages: 1 until 15 of 843.
Number of pages: 57
[1] 2 3 4 5 6 7 Older